ઊત્તર ગોળાર્ધ્ધ માં વાવાઝોડું હોઈ તેને અનૂસંગિક પવનો વાવાઝોડાના સેન્ટર થી એન્ટીકલોક(ઘડિયાળ ના કાંટા થી વિરૂદ્ધ )દિશામાં ફૂંકતા હોઈ છે.
વાવાઝોડાના પવનો ની ઝડપ ની જયારે વાત થતી હોઈ તે તેટલી સ્પીડે ફૂંકતા હોઈ છે.
વાવાઝોડું પોતે તો બહુ ધીમી સ્પીડે આગળ ચાલતું હોઈ છે. સામાન્ય રીતે ૫ થી ૧૫ કિમી પ્રતિ કલાકે આગળ ચાલતું હોઈ છે.
હવામાન ખાતા મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ કિ.મી. પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૩ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ માઇલ પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૧ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
૧ નોટ =૧.૮૫૨ કી.મી.
૧ નોટ =૧.૧૫ માઇલ
એટલે ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ તરફ થી પવન ની ઝડપ ભારતીય હવામાન ખાતા કરતા સામાન્ય રીતે ૧૦ % થી ૧૫ %વધુ હોઈ છે.
આગાહી તારીખ ૨૯ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૧૪:
મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર માં ‘નીલોફર’ નામનું અતિ તીવ્ર વાવાઝોડું ૧૨ કલાક પહેલા વધુ મજબૂત બનેલ અને ૧૧૫ નોટ ના પવનો ફૂંકતા હતા (૨૧૩ કિમી પ્રતિ કલાક ની ઝડપ ના પવનો જે ૧ મિનીટ ની એવરેજ મૂજબ ) અને ૯૩૭ મિલીબાર પ્રેસર હતું. આ વાવાઝોડા આસપાસ દરિયા ના મોજા ૩૦ ફૂટ ઊંચા ઊછળતા હતા. છેલ્લા ૧૨ કલાક માં સીસ્ટમ ઊત્તર બાજુ ચાલી છે.
આજે તારીખ ૨૯ ઓક્ટોબર 0000 UTC (05.30 am. IST ) ના‘નીલોફર’ નામનું અતિ તીવ્ર વાવાઝોડું Lat.18.5 N & Long. 62.0 E ઉપર કેન્દ્રિત હતું. પવનો ૧0૫ નોટ (૧૯૫ કિમી પ્રતિ કલાક ની ઝડપ ના પવનો જે ૧ મિનીટ ની એવરેજ મૂજબ ) અને ૯૪૪ મિલીબાર પ્રેસર છે. આ વાવાઝોડા આસપાસ દરિયા ના મોજા ૩૫ ફૂટ ઊંચા ઊછળે છે. આ સીસ્ટમ સામાન્ય નબળી પડી છે. ૧૨ થી ૨૪ કલાક માં સીસ્ટમ નબળી પડવાનું ચાલુ રાખશે અને ત્યાર બાદ એક બે દિવસ વધુ નબળી પડશે.
આ સીસ્ટમના ભાવી અંગે હજુ ચોક્સાય કરવી પડે તેમ હોઈ આજે રાત્રે અપડેટ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાવચેતી રાખવી કારણ કે પવન થી અને વરસાદ થી નૂકસાન થવાની શક્યતા થઇ શકે.
No comments:
Post a Comment