પ્રવુતિ દ્વારા
જ્ઞાનનું સર્જન
રાજેશ સુમેરા
આચાર્યશ્રી
ગોકળપુરા પ્રા.શાળા ,સાણંદ,અમદાવાદ
,
રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા [NCF-2005] અને શિક્ષણના મૂળભૂત
અધિકાર [RTE-2009]નો મુખ્ય હાર્દ જ પ્રવુતિ અને જ્ઞાનનું નિર્માણ છે .પ્રસિદ્ધ શિક્ષા વિદ ‘જો
પ્યાજો ‘પણ કહે છે ‘’ દરેક બાળક જ્ઞાનનું સર્જન કરે છે ‘’
પ્રવુતિ દ્વારા જ્ઞાનનું
નિર્માણ કરવું એ આપણી શરૂઆતની પ્રક્રિયા છે .બાળકો પાસે એવા કેટલાય અનુભવો હોય છે
.કે જેના પર ચિંતન કરી શકાય અને તેવાજ અનુભવો પુરા પાડી વિવિધ માધ્યમો દ્વારા
વિધ્યાર્થીન્ર વિચારતો કરી શકાય અને વિષયમાં આવતી સમજ અને સંકલ્પનાઓ ચીર સ્થાયી
રૂપે સ્પષ્ટ કરી શકાય .શીખવું [learning]નો અર્થ પણ એ જ થાય છે ,પહેલે થી પડેલી જાણકારી જાણી નવી રીતે રજુ કરવી .
‘’ જે અનુભવ પર ચિંતન
કરવું પડે તેને જ જ્ઞાન કહેવાય ‘’અને ચિંતન વગર જ્ઞાન મળતું નથી ,ટૂંકમાં આપણે ભૂલ
કરતા કરતા ચિંતન અને મનન થી જ સાચી સમજ મેળવીએ છીએ .બાળકોને જ્ઞાનનું સર્જન કરતા
કરવા માટે ચિંતન,મનન ,અને નિષ્કર્ષ પર
પહોચવું આવશ્યક છે .જેની સમજ શિક્ષકો માટે અનિવાર્ય બને છે
No comments:
Post a Comment